• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • ઘરમાં રહેલા મંદિરમાં રામ દરબાર લગાવવાનું છે અનેરૂં મહત્વ, નકારાત્મક શક્તિઓ થશે દુર...!

ઘરમાં રહેલા મંદિરમાં રામ દરબાર લગાવવાનું છે અનેરૂં મહત્વ, નકારાત્મક શક્તિઓ થશે દુર...!

09:02 PM January 17, 2024 admin Share on WhatsApp



Lord Ram Darbar Image In Home Temple : સમગ્ર દેશ હાલ ભગવાન શ્રીરામની ભક્તિમાં ડૂબેલો છે. જે ઘડીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે આખરે ઢૂંકડી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ જશે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાય છે. રામાયણ કથામાં કહેવાયું છે કે ભગવાન રામનું જીવન ધર્મ, સત્ય, પ્રેમ, કરુણા, મર્યાદા અને સદાચાર માટે સંપૂર્ણ રીતે સમર્પિત રહ્યું. 

ધર્મ અને મર્યાદા માટે તેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ સમાધાન કર્યું નથી. ભગવાન રામનું જીવન સમાજ સામે એક સંપૂર્ણ આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ રજૂ કરે છે. ભગવાન રામના જીવન પર આધારિત રામાયણ ગ્રંથનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. રામાયણ આપણને પણ ભગવાન રામની જેમ એક આદર્શ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે. આથી ઘરમાં રામાયણનો પાઠ કરવો એ ખુબ કલ્યાણકારી માનવામાં આવે છે. રામાયણનો પાઠ કરવાની સાથે સાથે ઘરના મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો દરબાર લગાવવાનું પણ વિશેષ મહત્વ ગણવામાં આવે છે. ઘરમાં કેમ રામદરબાર રાખવો જોઈએ તેનું કારણ ખાસ જાણો. 

► રામ દરબાર કેવી રીતે સજાવવો?

ભગવાન રામના દરબારમાં મુખ્ય ભગવાન શ્રીરામ હોય છે. ભગવાન રામની સાથે તેમના પત્ની માતા સીતા, નાના ભાઈ લક્ષ્મણ, અને પ્રણામની મુદ્રામાં શ્રીરામની સન્મુખ માથું ઝૂકાવીને બેઠેલા ભગવાન બજરંગબલી પણ હોય છે. 

► ઘરમાં રામ દરબારનું મહત્વ

ધાર્મિક માન્યતા મુજબ ઘરમાં રામ દરબારની સ્થાપના કરવાનું વિશેષ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે જે ઘરના મંદિરમાં રામ દરબાર હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ઘરમાં રોજ રામ દરબારની પૂજા કરવાથી ઘરના સભ્યોમાં પ્રેમ અને સદભાવની ભાવના જળવાઈ રહે છે. એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં રામ દરબારની સ્થાપના કરી પૂજા કરવાથી સાધકની કુંડળીમાં રહેલો ગ્રહદોષ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે અને કહેવાય છે કે મૃત્યુ પછી પણ સાધકને ભગવાન શ્રીરામના ચરણોમાં મોક્ષની પ્રાપ્તિ  થાય છે. 


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lord Ram, Lakshman, Sita and Hanuman Image - Ram Darbar HD image in home Temple - shree ram image hd - રામ દરબાર ફોટો - ઘરમાં રહેલા મંદિરમાં રામ દરબારનો ફોટો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 1 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 31-07-2025
  • Gujju News Channel
  • કચ્છમાં વારંવાર ભૂકંપ આવવા સારી બાબત ! જાણો સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ કેમ આવું બોલ્યા?
    • 31-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-07-2025
    • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us