• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • ઘરમાં રહેલા મંદિરમાં રામ દરબાર લગાવવાનું છે અનેરૂં મહત્વ, નકારાત્મક શક્તિઓ થશે દુર...!

ઘરમાં રહેલા મંદિરમાં રામ દરબાર લગાવવાનું છે અનેરૂં મહત્વ, નકારાત્મક શક્તિઓ થશે દુર...!

09:02 PM January 17, 2024 admin Share on WhatsApp



Lord Ram Darbar Image In Home Temple : સમગ્ર દેશ હાલ ભગવાન શ્રીરામની ભક્તિમાં ડૂબેલો છે. જે ઘડીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે આખરે ઢૂંકડી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ જશે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાય છે. રામાયણ કથામાં કહેવાયું છે કે ભગવાન રામનું જીવન ધર્મ, સત્ય, પ્રેમ, કરુણા, મર્યાદા અને સદાચાર માટે સંપૂર્ણ રીતે સમર્પિત રહ્યું. 

ધર્મ અને મર્યાદા માટે તેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ સમાધાન કર્યું નથી. ભગવાન રામનું જીવન સમાજ સામે એક સંપૂર્ણ આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ રજૂ કરે છે. ભગવાન રામના જીવન પર આધારિત રામાયણ ગ્રંથનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. રામાયણ આપણને પણ ભગવાન રામની જેમ એક આદર્શ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે. આથી ઘરમાં રામાયણનો પાઠ કરવો એ ખુબ કલ્યાણકારી માનવામાં આવે છે. રામાયણનો પાઠ કરવાની સાથે સાથે ઘરના મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો દરબાર લગાવવાનું પણ વિશેષ મહત્વ ગણવામાં આવે છે. ઘરમાં કેમ રામદરબાર રાખવો જોઈએ તેનું કારણ ખાસ જાણો. 

► રામ દરબાર કેવી રીતે સજાવવો?

ભગવાન રામના દરબારમાં મુખ્ય ભગવાન શ્રીરામ હોય છે. ભગવાન રામની સાથે તેમના પત્ની માતા સીતા, નાના ભાઈ લક્ષ્મણ, અને પ્રણામની મુદ્રામાં શ્રીરામની સન્મુખ માથું ઝૂકાવીને બેઠેલા ભગવાન બજરંગબલી પણ હોય છે. 

► ઘરમાં રામ દરબારનું મહત્વ

ધાર્મિક માન્યતા મુજબ ઘરમાં રામ દરબારની સ્થાપના કરવાનું વિશેષ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે જે ઘરના મંદિરમાં રામ દરબાર હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ઘરમાં રોજ રામ દરબારની પૂજા કરવાથી ઘરના સભ્યોમાં પ્રેમ અને સદભાવની ભાવના જળવાઈ રહે છે. એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં રામ દરબારની સ્થાપના કરી પૂજા કરવાથી સાધકની કુંડળીમાં રહેલો ગ્રહદોષ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે અને કહેવાય છે કે મૃત્યુ પછી પણ સાધકને ભગવાન શ્રીરામના ચરણોમાં મોક્ષની પ્રાપ્તિ  થાય છે. 


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lord Ram, Lakshman, Sita and Hanuman Image - Ram Darbar HD image in home Temple - shree ram image hd - રામ દરબાર ફોટો - ઘરમાં રહેલા મંદિરમાં રામ દરબારનો ફોટો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us